<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd='http://schemas.google.com/g/2005' xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-2379846641112083317</id><updated>2012-02-16T01:05:39.609-08:00</updated><title type='text'>vinayak creation</title><subtitle type='html'>hi. I am Ashwin Chaudhari. I am an Electrical Engineer. writer and poet too.i have written somany poems and articles too. i have release one audio album " SATHVARO" last year. all the songs in this album written by me. Video album of " SATHVARO" going to release very soon.
my email address is 
vinayakcreation@yahoo.co.in
ashwinchaudhari@yahoo.com
 09825507660 (M)</subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://vinayak-creation.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default?max-results=100'/><link rel='alternate' type='text/html' href='http://vinayak-creation.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><author><name>vinayak</name><uri>http://www.blogger.com/profile/07404290198420524598</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='21' src='http://bp3.blogger.com/_GU-OSLb2jDo/R5ylVP8BS_I/AAAAAAAAAAU/USGoJT6tRgg/S220/DSCF0025-1.jpg'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>9</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>100</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-2379846641112083317.post-2011318303820998657</id><published>2008-01-27T06:37:00.001-08:00</published><updated>2008-01-27T06:39:26.490-08:00</updated><title type='text'>“જોજો, સમય એવો ખરાબ હશે!”</title><content type='html'>આજકાલ અખબારોમાં રોજ ચિત્ર-વિચિત્ર ચમાચારો છપાતાં રહે  છે. કેટલાંક સમાચારો વાંચીએ તો એવું લાગે કે  આવું તે કંઇ હોતું હશે? પ્રેમી સાથે મળીને પત્નિ પતિનું કાસળ કાઢે તો ક્યારેક પતિ પ્રેમિકા સાથે મળીને પત્નિનું કાસળ કાઢે છે. ક્યારેક છ-સાત વર્ષની બાળકી ઉપર બળાત્કારનાં સમાચારો ચમકે ત્યારે તો સહજપણે બોલી જવાય કે આવનારાં દિવસો કેવાં ખરાબ હશે! કળીયુગ ખરેખર આવી ગયો છે? જો હમણાં આવી પરિસ્થિતિ છે તો પચાસ-સો વર્ષો પછી કેવી હાલત હશે? લાગણી,સંવેદના,માનવતા,  બધું જ મરી પરવાર્યું  છે કે પછી મરણ પથારીએ હોય એવું હમણાં તો  લાગે છે. માનવીએ પોતાન સ્વાર્થ ખાતર આદર્શ-મૂલ્યોને અભરાઇએ ચઢાવી દીધાં છે.સિધ્ધાંતો,સંસ્ક્રુતિ,ભાવનાઓ વગેરે વેબસાઇટનાં પેજમાં કેદ થઇ જશે.ભવિષ્યમાં વાઘ,સિંહ અને જંગલો નામશેષ થઇ ગયાં હશે.આપણાં બાળકો વાઘ કે સિંહને પ્રાણી-સંગ્રાહલયમાં નહીં પરંતુ મ્યુઝિયમમાં નિહાળશે એવાં દિવસો દૂર નથી. આવનારી સદીઓમાં સ્વજનનાં મ્રુત્યુ બાદ થતી સ્મશાન યાત્રા,અગ્નિ સંસ્કાર કે બારમા-તેરમાની વિધિઓ કરવાનો કોઇની પાસે સમય નહીં હશે! સ્વજનાં મ્રુત્યુ બાદ બસ એક ફોન કરવાથી મ્યુનિસિપાલિટીની ગાડી આવીને ડેડ બોડી ભરીને જતી રહેશે! ભૂતકાળમાં આપણાં વડિલો કહેતાં કે જોજો, પાણી પડીકે વેચાશે! ત્યારે આપણે બધાં એ વાતને હસી કાઢતા હતાં પરંતુ આજે કેવી પરિસ્થિતિ છે? શું ચૌરે ને ચૌટે પાણીનાં પાઉચ નથી વેચાતાં?પચાસ વર્ષ અગાઉ આપણાં વડિલોએ કરેલી ભવિષ્યવાણી સાચી પડી રહી છે. &lt;br /&gt;   આવનાર દિવસો કેવાં હશે તેની કલ્પના કાવ્યાત્મક રીતે  આપની સમક્ષ રજૂ કરી કહુ છું કે,                   “જોજો, સમય એવો ખરાબ હશે!”&lt;br /&gt;&lt;br /&gt;લાગણી ડોટ કોમ,સંસ્કાર ડોટ કોમ, ડોટ કોમ સંસ્ક્રુતિ ગુજરાત હશે, &lt;br /&gt;પણ શોધી જડે નહીં લાગણીઓ, જોજો સમય એવો ખરાબ હશે!&lt;br /&gt;ભૂતકાળ થઇ જશે ભાવનાઓ, ભાઇચારાનો હંમેશા દુકાળ હશે, &lt;br /&gt;સંવેદના ડોટ કોમ, ઉષ્મા ડોટ કોમ, શું ડોટ કોમ માનવતાનો પર્યાય હશે? &lt;br /&gt;&lt;br /&gt;મા-બાપ કહેશે દિકરાને, લાગે છે તને સંસ્કારોની જરૂર કંઇક હશે,&lt;br /&gt; એક નજર તો મારી લે, સંસ્કાર ડોટકોમમાં સંસ્કારો ઓનલાઇન હશે!&lt;br /&gt; કહેશે દીકરો મા-બાપને, લાગણીવેડામાં સમય ખોટો બરબાદ થશે, &lt;br /&gt;બુકિંગ કરાવ્યું હતું ઘરડા-ઘરમાં, આવ્યો ત્યાંથી તમારો કદાચ કોલ હશે!&lt;br /&gt;&lt;br /&gt; સ્વજન મૂઆ પછી સ્મશાન યાત્રા કાઢી નદીએ ત્યારે કોણ જશે! &lt;br /&gt;કોલ કર્યો નથી કે મ્યુનિસિપાલિટીની ગાડી આવી ડેડબોડીને ભરી જશે! &lt;br /&gt;લાગણી ડોટ કોમ,સંસ્કાર ડોટ કોમ, ડોટ કોમ સંસ્ક્રુતિ ગુજરાત હશે, &lt;br /&gt;પણ શોધી જડે નહીં લાગણીઓ, જોજો સમય એવો ખરાબ હશે! &lt;br /&gt;&lt;br /&gt;ટાયગર ડોટ કોમ, લાયન ડોટ કોમ, ડોટકોમ લીલુ જંગલ હશે, &lt;br /&gt;થઇ ગયા હશે નામશેષ પ્રાણીઓ,કદાચ ઝૂ નહીં પણ મ્યુઝિયમ હશે!&lt;br /&gt; લાકડાં ચોરી ઘર ભર્યા, જંગલો બન્યાં ઉજ્જડ-વેરાન હશે, &lt;br /&gt;&lt;br /&gt;ગીરમાં વનરાજી કેવી? સિમેંટ-કોંક્રિટનું ઉભું મોટું જંગલ હશે! &lt;br /&gt;આવ્યો-તો આવ્યો, નહિંતર રામ-રામ કહેતો વરસાદ હશે, &lt;br /&gt;કાળઝાળ ગરમીથી તોબા, માનવજાત હેરાન-પરેશાન હશે! &lt;br /&gt;ડોલ ભર્રીને રોજ ન્હાવું,, સ્વપ્નવત કદાચ બન્યું હશે, &lt;br /&gt;પેટ્રોલ-ડીઝલ સાથે પાણીનો ભાવ વધારો બજેટમાં યે થતો હશે! &lt;br /&gt;નદી ડોટ કોમ,ઝરણાં ડોટ કોમ, ડોટ કોમ ખાડાં-ખાબોચિયાં હશે,&lt;br /&gt; બની જશે ભૂતકાળ આ બધું, વેબસાઇટોમાં એનો ઇતિહાસ હશે!&lt;br /&gt;&lt;br /&gt;    ‘વિનાયક’                                                                                             &lt;br /&gt;અશ્વિન ચૌધરી&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2379846641112083317-2011318303820998657?l=vinayak-creation.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vinayak-creation.blogspot.com/feeds/2011318303820998657/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=2379846641112083317&amp;postID=2011318303820998657&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/2011318303820998657'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/2011318303820998657'/><link rel='alternate' type='text/html' href='http://vinayak-creation.blogspot.com/2008/01/blog-post_8353.html' title='“જોજો, સમય એવો ખરાબ હશે!”'/><author><name>vinayak</name><uri>http://www.blogger.com/profile/07404290198420524598</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='21' src='http://bp3.blogger.com/_GU-OSLb2jDo/R5ylVP8BS_I/AAAAAAAAAAU/USGoJT6tRgg/S220/DSCF0025-1.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2379846641112083317.post-4859126430860231191</id><published>2008-01-27T06:33:00.000-08:00</published><updated>2008-01-27T06:36:50.035-08:00</updated><title type='text'>રે કુદરત, તું સાવ આવું કેમ કરે !</title><content type='html'>કુદરતની વાત જ ન્યારી છે.કુદરત આગળ કોઇનું ચાલતુ નથી. રાજા હોય કે રંક, કુદરત બધાને એક જ લાકડીએ હાંકે છે.કુદરતની એક જ થપાટમાં કરોડપતિ રોડ ઉપર આવી જાય છે અને જો રહેમ થાય તો સામાન્ય માણસ પણ કરોડપતિ થઇ જાય  છે.છતાં પણ ક્યારેક આપણી આજુબાજુ કોઇક એવા પ્રસંગો બની જાય છે કે આપણી ભગવાન ઉપરની શ્રધ્ધા ડગમગી જાય  છે. કોઇક હસતુ-રમતુ કુટુંબ એક ક્ષણમાં હતું ન-હતું થઇ જાય  છે. કોઇક વાર તો એકદમ ભલો તથા સજજન માણસ કૂતરાની મોતે મરે છે અને સાવ નીચ માણસો સમાજમાં વટથી છાતી કાઢીને ફરતા જોવા મળે છે. જીવતો માણસ નદીમાં ડુબતા બચી કિનારે પહોંચવા માટે હાથ-પગ હલાવી અંતિમ ક્ષણ સુધી મ્રુત્યુ સામે જંગ લડે છે જ્યારે મડદાંને કુદરત તારીને કિનારે લાવે  છે!! આને શું કહેવું?સારા ઉદ્દેશથીસારું કામ કરવા માંગતા લોકોને પછડાટ મળે છે જ્યારે બદઇરાદાથી ખોટું કરવા માંગતા લોકોને ઝળહળતી સફળતા મળે  છે. ક્યારેક કોઇ સારો માણસ મ્રુત્યુ પામે ત્યારે આપણે મરનારના કુટુંબને સાંત્વના આપીએ છીએકે ‘સારા માણસની ભગવાનને પણ ઉપર એટલી જ જરૂર હોય છે’ પરંતુ આપણો અંતરાત્મા તો અંદરખાને તો એવું જ કહે  છે કે ‘પ્રભુ, તારા ગણિતમાં  મને સમજ ના પડી!’ ક્યારેક આપણે કુદરતને જ સવાલ કરીએ છીએ કે ‘રે કુદરત, તું સાવ આવું કેમ કરે!’&lt;br /&gt;&lt;br /&gt;   ગુજરાતના લોકપ્રિય કવિ સ્વ. શ્રી રમેશ પારેખને શ્રધ્ધાંજલિ આપવા માટે ખાસ રચેલા કાવ્યને આપની સમક્ષ રજુ કરૂ છું&lt;br /&gt;&lt;br /&gt;રે કુદરત, તું સાવ આવું કેમ કરે !&lt;br /&gt;જીવતો માણસ ડૂબે અને મડદા કેમ તરે !&lt;br /&gt;રે કુદરત, તું સાવ આવું કેમ કરે ! &lt;br /&gt;&lt;br /&gt;જીવતા ને તું મારી ડૂબાડે &lt;br /&gt;મડદાને તારી તું લાવે કિનારે !&lt;br /&gt;રે કુદરત, તું સાવ આવું કેમ કરે ! &lt;br /&gt;&lt;br /&gt;ભલો હોય જે માણસ, રિબાય રિબાયને મરે &lt;br /&gt;નીચ લોકો જૂઓને અહીં, કેમ છાતી કાઢીને ફરે &lt;br /&gt; રે કુદરત, તું સાવ આવું કેમ કરે !&lt;br /&gt;&lt;br /&gt;ગણિત તારૂં મને ગળ્યું ગળે નહીં ઉતરે &lt;br /&gt;કરવાનો હોય સરવાળો ત્યાં, &lt;br /&gt;બાદબાકી કેમ તું કરે ! &lt;br /&gt;લાગે કે હવે વધશે શેષ, &lt;br /&gt;સાવ જ ઉડાડી છેદ તું મીંડુ કેમ કરે!  &lt;br /&gt;રે કુદરત, તું સાવ આવું કેમ કરે !&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;કવિઓનું સંમેલન હોય તેમ, &lt;br /&gt;કવિઓને સ્વર્ગમાં  ભેગા કેમ તું કરે!&lt;br /&gt;માંડ ગણ્યાં ગાંઠ્યાં રહ્યાં છે,&lt;br /&gt;વિનંતિ છે પ્રભુ ! રહેમ  હવે તું કરે!&lt;br /&gt;રે કુદરત, તું સાવ આવું કેમ કરે !&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;                                                                     &lt;br /&gt;&lt;br /&gt;  ‘વિનાયક’                                                                                             &lt;br /&gt;અશ્વિન ચૌધરી&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2379846641112083317-4859126430860231191?l=vinayak-creation.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vinayak-creation.blogspot.com/feeds/4859126430860231191/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=2379846641112083317&amp;postID=4859126430860231191&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/4859126430860231191'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/4859126430860231191'/><link rel='alternate' type='text/html' href='http://vinayak-creation.blogspot.com/2008/01/blog-post_4070.html' title='રે કુદરત, તું સાવ આવું કેમ કરે !'/><author><name>vinayak</name><uri>http://www.blogger.com/profile/07404290198420524598</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='21' src='http://bp3.blogger.com/_GU-OSLb2jDo/R5ylVP8BS_I/AAAAAAAAAAU/USGoJT6tRgg/S220/DSCF0025-1.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2379846641112083317.post-902534825820956311</id><published>2008-01-27T06:31:00.000-08:00</published><updated>2008-01-27T06:32:58.558-08:00</updated><title type='text'>“આ તો નકામું ઘાસ છે”</title><content type='html'>માનવીની મહત્વાકાંક્ષાનો કોઇ અંત જ નથી. પોતાનાં ફાયદા માટે કે પૈસા કમાવા માટે  એ જાતજાતનાં અખતરાઓ કરતો જ જાય છે. આમ કરવામાં માનવીએ પર્યાવરણનું નિકંદન કાઢી નાંખ્યું છે.પર્યાવરણને સૌથી વધુ નુકશાન પ્લાસ્ટિકથી થાય છે.પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનને તથા પર્યાવરણને નુકશાન પહોંચાડતું રહે  છે. હદ તો ત્યારે થાય છે કે જ્યારે માનવી દ્વારા કચરા રૂપે ફેંકાયેલું પ્લાસ્ટિક ગાયો આરોગી  જાય છે પરિણામે ગાયોના પેટમાં ચાલીસથી પચાસ કિલો જેટલું પ્લાસ્ટિક એકઠું થાય છે અને ગાય રીબાય રીબાયને મરે  છે. આવી રોગિષ્ઠ ગાયો દ્વારા અપાતું દૂધ આપણાં બાળકો પીએ છે. છાપાઓમાં જ્યારે ઓપરેશન દ્વારા ગાયોના પેટમાંથી પ્લાસ્ટિકનો મોટો જથ્થો કાઢ્યાનાં સમાચારો તથા ફોટાઓ જ્યારે આપણે જોઇએ છીએ ત્યારે આપણે કામચલાઉ સંવેદના વ્યક્ત કરીએ છીએ અને પછી બે-ચાર દિવસ પછી આપણે જ કોથળો ભરીને પ્લાસ્ટિકનો કચરો બહાર બેફિકરાયથી ફેંકીએ છીએ. ગાયો માટેની ગૌચરની જમીનો ઉપર આપણે સિમેંટ કોંક્રિટનાં જંગલો  ઉભા કરી દીધા છે અને રહ્યુસહ્યું ઘાસ પણ આપણે ‘આ તો નકામું ઘાસ છે’ એમ કહીને સળગાવી દઇએ છીએ. માનવીની આવી નિષ્ઠુર વર્તણુક  જોઇને ઘાસનાં મનમાં  કેવા વિચારો આવતા હશે એની કલ્પના કાવ્યરૂપે રજુ કરવાનો પ્રમાણિક પ્રયાસ કરેલ છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;કહે છે લોકો, સળગાવી દ્યો કચરાં સાથે&lt;br /&gt; આ તો   નકામું ઘાસ છે &lt;br /&gt;મુંગા પશુઓનો જઠરાગ્નિ ઠારું,                             &lt;br /&gt; લાગે  છે મારામાં કંઇક ખાસ છે&lt;br /&gt;માનવીએ બનાવ્યાં પ્લાસ્ટિક-કાગળો                                  &lt;br /&gt;નાંખે ગમે ત્યાં આસપાસ છે &lt;br /&gt;ગાયો ખાયને રિબાઇને મરે,                             &lt;br /&gt;કોને પડી અહીં બહુ કંઇ ખાસ છે&lt;br /&gt;&lt;br /&gt;વ્રુક્ષો કાપી વેરાન બનાવ્યાં જંગલો                             &lt;br /&gt;જુઓને માનવી કેવો બકવાસ છે&lt;br /&gt;વર્ષા રૂતુમાં ચાદર લીલી ઓઢાડી                &lt;br /&gt;દુલ્હન બનાવે ધરાને આ એજ નકામું ઘાસ છે &lt;br /&gt;ભલે હું નકામું ઘાસ તો ઘાસ ,&lt;br /&gt;પશુઓની આંખોમાં                       &lt;br /&gt; જુઓને મારાં માટે કેવી મોટી આશ છે  &lt;br /&gt;મુંગા પશુઓનો જઠરાગ્નિ ઠારું,                              &lt;br /&gt;લાગે  છે મારામાં કંઇક ખાસ છે&lt;br /&gt;&lt;br /&gt;“વિનાયક”&lt;br /&gt;                                                                                           અશ્વિન ચૌધરી&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2379846641112083317-902534825820956311?l=vinayak-creation.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vinayak-creation.blogspot.com/feeds/902534825820956311/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=2379846641112083317&amp;postID=902534825820956311&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/902534825820956311'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/902534825820956311'/><link rel='alternate' type='text/html' href='http://vinayak-creation.blogspot.com/2008/01/blog-post_5059.html' title='“આ તો નકામું ઘાસ છે”'/><author><name>vinayak</name><uri>http://www.blogger.com/profile/07404290198420524598</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='21' src='http://bp3.blogger.com/_GU-OSLb2jDo/R5ylVP8BS_I/AAAAAAAAAAU/USGoJT6tRgg/S220/DSCF0025-1.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2379846641112083317.post-4188283128691213450</id><published>2008-01-27T06:30:00.000-08:00</published><updated>2008-01-27T06:31:25.146-08:00</updated><title type='text'>“ઘર જમાઇ”</title><content type='html'>‘દહેજ’, ‘દાવરી’ ‘કરિયાવર’ આવાં રૂપાળા નામ હેઠળ  માનવી રીતિ-રિવાજોના નામે સદીઓથી સામાજિક ભ્રષ્ટાચાર કરતો  આવ્યો  છે. લાખોપતિ-કરોડપતિ  માનવી પોતાના પુત્રનાં લગ્નપ્રસંગે સાવ ભિખારી કેમ બની જાય છે? પચાસ-સો તોલા સોનું ,રોકડા રૂપિયા,બંગલા-ગાડી જેવી વિવિધ માંગણીઓ ભાવિ વેવાઇ સમક્ષ મુકી, સંબંધ બંધાય તે પહેલાં જ સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકવાની હીન ચેષ્ટા માનવી ખબર નહીં કેમ કરે  છે?’ મારાં પુત્રને ભણાવ્યો-ગણાવ્યો,ડોક્ટર કે એંજિનિયર બનાવ્યોએમાં આટલો ખર્ચ થયો તો પછે દહેજ લઇ વસુલ કરીએ એમાં ખોટું શું છે એવું નફ્ફટાઇપુર્વક કહી મા-બાપો પોતાના હોનહાર પુત્રનો સોદો કરવાં નીકળી પડે છે. દહેજના નામે ઉંચામાં ઉંચી બોલી બોલનાર લાચાર મા-બાપની પુત્રી સાથે પવિત્ર સગપણનો અપવિત્ર રીતે સોદો કરવામાં આવે છે.અને આ બધું કહેવાતા ઉચ્ચ શિક્ષિત સમાજમાં જ જોવાં મળે છે. ’દહેજ’ લેનારી કોઇપણ કોમ સામજિક અને માનસિક રીતે પછાત  જ ગણાય. પોતાને ‘ફોરવર્ડૅ’ કહેડાવવામાં શાન અનુભવતો સમાજ ‘દહેજ’ માંગવા સમયે સાવ ‘બેકવર્ડ’ કેમ બની જાય છે? દહેજ પ્રથા ઉપર  પ્રતિબંધ મુકવાથી કોઇ સુધારો થાય એવુ લાગતું નથી. ખરેખર તો  ‘દહેજ પ્રથા’ને સમર્થન આપી એમાં એક નાનકડો સુધારો લાવી  દહેજ લેનાર વ્યક્તિ માટે નવી પ્રથા અમલમાં મુકવાની જરૂર  છે. દહેજ લઇ પરણનાર મુરતિયો ‘ઘરજમાઇ’ બની કન્યાને ઘરે આખી  જીંદગી રહે અને ‘કન્યા વિદાય’ની જગ્યાએ ‘વર-વિદાય’ની નવી પ્રથા ફરજિયાત બનાવવામાં આવે તો અને તો જ દહેજનું દૂષણ  કાબુમાં આવે એવું મારું સ્પષ્ટ માનવું છે. વરના મા-બાપ ને દહેજ પેટે લખો રૂપિયા કન્યાના મા-બાપ ચૂકવે પછી મા-બાપ પુત્ર ઉપરનો પોતાનો અધિકાર આપોઆપ ગુમાવી બેસે છે. આપણને ખેતી માટે ‘બળદ’ની જરૂર હોય તો બળદનો માલિક રોકડા રૂપિયા ગણીને પછી જ બળદનો સોદો કરે  છે. રોકડા રૂપિયા ચુકવ્યા પછી બળદને આપણે ઘરે લઇ આવીએ છીએ કે પછી બળદના મૂળ માલિકના ઘરે જ મૂકી આવીએ છીએ? બળદને ઘરે લાવી ખેતીમા જોતરી આપણે આપણાં ચૂકવેલાં પૈસા બળદ પાસે બરાબરના વસુલ કરીએ છીએ. લગ્નના પવિત્ર બંધનને ‘દહેજ’રૂપી ગંદકીથી અપવિત્ર કરી સોદો કરતા મા-બાપના ‘બળદિયા’ પુત્રને ‘ઘરજમાઇ’ બનાવી ઘરમાંથી બધાં જ નોકરો કે કામવાળીઓની છુટ્ટી કરી દેવી જોઇએ અને આવા બળદિયા ઘરજમાઇ પાસે કચરા-પોતુ કરાવડાવી દહેજની રકમ  પુરેપુરી વસુલ કરવી જોઇએ.આજકાલ છાપાઓમાં દહેજના ત્રાસથી અગ્નિસંસ્કાર કરતી કન્યાઓના સમાચારો અવારનવાર ચમકતા રહે  છે.જો સમાજમાં ‘ઘર-જમાઇ’ની નવી પ્રથા અમલી બને તો સમાજની  તસવીર જ બદલાઇ જાય. દહેજ પ્રથાનો લગ્ન ઉત્સુક યુવકો કરતા યુવકોના મા-બાપો તરફથી જ તીવ્ર વિરોધ શરૂ થઇ જાય. કોઇપણ શિક્ષિત મા-બાપ પોતાના  પુત્રને  દહેજ  લઇને પણ  ‘ઘર-જમાઇ’ બનાવવા તૈયાર થાય જ નહીં..નવી પ્રથાનું અમલીકરણ થાય તો અખબારોની હેડલાઇનનાં મથાળા જ બદલાઇ જાય. ’પત્નિ અને સાસુ-સસરા,સાળાના ત્રાસથી પતિનો અગ્નિ સંસ્કાર’ ’દહેજની  વસુલી બાબતે કામ કરવાની  ના પાડતા પતિ મહાશયની સાસરિયાઓએ કરેલી ધુલાઇ, પતિ હોસ્પિટલમાં’ ’સાસરિયાઓના ત્રાસથી પતિનો ગ્રુહત્યાગ’&lt;br /&gt;“દહેજ  લીધાં પછી ‘ઘર-જમાઇ’ બનવાની સ્પષ્ટ ના પાડતાં કન્યાની જાન ‘વર-વિદાય’ વિના લીલા તોરણે પાછે ફરી”&lt;br /&gt;&lt;br /&gt;      આવાં ચિત્ર-વિચિત્ર સમાચારોથી અખબારો છલકાય જાય તો નવાઇ નહીં  ‘ઝેરનું મારણ ઝેર જ હોય શકે” જો દહેજન દુષણ ઉપર અંકુશ મુકવો હોય અને હજારો કોડભરી કન્યાઓને દહેજના ખપ્પરમા હોમાતી બચાવવી હોય તો ‘ઘર-જમાઇ’વાળી  પ્રથા અમલમાં મુકવી જ રહી.. અને જો ખરેખર આવું થાય તો પોતાની પુત્રીનાં લગ્ન-પ્રસંગે સ્વેચ્છાએ દહેજ આપવાં માંગતા સાધન-સંપન્ન  મા-બાપ સામેથી દહેજનો પ્રસ્તાવ મૂકે તો યુવકનાં મા-બાપ કન્યાના મા-બાપને હાથ જોડીને કહેશે,           &lt;br /&gt;                  ‘દહેજ લેવું એ પાપ  છે, અમારે પાપમાં નથી પડવું”&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;                                                          &lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;                                                   “વિનાયક”&lt;br /&gt;                                                                                                                                          અશ્વિન ચૌધરી&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2379846641112083317-4188283128691213450?l=vinayak-creation.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vinayak-creation.blogspot.com/feeds/4188283128691213450/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=2379846641112083317&amp;postID=4188283128691213450&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/4188283128691213450'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/4188283128691213450'/><link rel='alternate' type='text/html' href='http://vinayak-creation.blogspot.com/2008/01/blog-post_2366.html' title='“ઘર જમાઇ”'/><author><name>vinayak</name><uri>http://www.blogger.com/profile/07404290198420524598</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='21' src='http://bp3.blogger.com/_GU-OSLb2jDo/R5ylVP8BS_I/AAAAAAAAAAU/USGoJT6tRgg/S220/DSCF0025-1.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2379846641112083317.post-5417505673517541291</id><published>2008-01-27T06:27:00.002-08:00</published><updated>2008-01-27T06:30:04.344-08:00</updated><title type='text'>“પ્રાર્થના”</title><content type='html'>ઇતની શક્તિ હમે દેના દાતા  &lt;br /&gt;                                                મનકા વિશ્વાસ કમજોર હો ના, &lt;br /&gt;                               હમ ચલે નેક રસ્તે પે હમસે&lt;br /&gt;                                                ભુલકર ભી કોઇ ભૂલ હો ના.&lt;br /&gt;&lt;br /&gt;                       મંદિર કે મસ્જિદમાં જતી કેટલી વ્યક્તિઓ ઈશ્વર કે ખુદા પાસે આવી  માંગણી કરતી હશે?ઇશ્વરને પ્રાર્થના કરતી મોટાં ભાગની વ્યક્તિઓ ઈશ્વર પાસે  સીધી સોદાબાજી જ કરતી હોય છે. ’જો મારું  ફલાણું કામ થઇ જશે તો હું આટલાં નારિયેળ ચઢાવીશ કે આટલાં ઉપવાસ કરીશ” આવાં વચનો આપણે મનોમન ભગવાનને કેટકેટલી વાર આપ્યાં હશે! ચૂંટણી જીતવા માટે પ્રચારમાં જતાં નેતાઓ  જેમ વાયદાઓ કરે  છે તેમ આપણે પણ ભગવાનને વચનોની લહાણી કરીએ છીએ અને પછી નેતાઓની માફક જ હાથ ઉંચા પણ કરી  દઇએ છીએ.આપણે ભગવાન પાસે હંમેશા માંગમાંગ જ કરતા આવ્યા છે.નિ:સ્વાર્થ ભાવે ઇશ્વરનું સ્મરણ કરતાં આપણે ક્યારે શીખીશું? આપણાં ઘરે  ભીખ માંગવા આવતા ભીખારીઓ જોડે આપણે કેવું વર્તન કરીએ છે? ભિખારીઓને આપણે હડધુત કરીને કાઢી મૂકીએ છીએ. ‘જા, આગળ જા, આ શું ધંધો લઇને બેઠાં છે, સાલાઓને ભીખ માંગવાની ટેવ પડી ગઇ છે’ વગેરે વગેરે વાકયો આપણે અચુક બોલીએ છીએ. ઘણાં તો વળી મહેનત કરીને ખાવાની  વણમાંગી સલાહ પણ આપી દે છે. આપણે નાનપણથી શીખતા આવ્યા છે કે  ઈશ્વર કે અલ્લાહ બધું એક જ છે. જો ઈશ્વર કે અલ્લાહ ખરેખર એક જ હોય તો વિશ્વનાં લાખો નહીં પણ કરોડૉ માનવીઓની પ્રાર્થનાની આડમાં છુપાયેલી માંગણીઓ સાંભળીને ભગવાનની શું હાલત થતી હશે? ભગવાન પણ કાનમાં પૂમડાં લગાવીને ધ્યાનમાં બેસી જતાં હશે! આપણાં ઘરે ભીખ માંગવાં આવતાં બે કે પાંચ ભીખારીઓથી આપણે પિત્તો ગુમાવી દઇએ છીએ તો ભગવાન પોતાનાં ‘ભકતો’ રૂપી અબજો ભિખારીઓની સવાર-સાંજ વિવિધ  માંગણીઓથી શું ત્રાસી નહીં જતાં હોય? &lt;br /&gt;&lt;br /&gt;             નેક અને પ્રમાણિક રસ્તે ચાલવાની શક્તિ આપો એવી પ્રાર્થના કરનારાઓનો વર્ગ કેટલો? મારૂં ફલાણું ટેંડર પાસ થઇ જશે તો દસ તોલા સોનાનો હાર ચઢાવીશ કે ઢીંકૅણું કામ  થઇ જશે તો એકસો એકાવન રૂપિયા ચઢાવીશ એવું કહેનારાઓની વિશ્વમાં નિ:શકપણે બહુમતી  હશે. ઈશ્વર ભાવનો ભૂખ્યો છે નહીં કે દસ તોલા સોનાના હારનો ! આપણે ભગવાન આગળ ક્યારેક  ભિખારી કે પછી વેપારી બની જઇએ છીએ તેમાં આપણો વાંક નથી. એ તો આપણે ગળથુથીમાં જ શીખ્યા છીએ. પ્રાથમિક શાળામાં પ્રાર્થના સંમેલનમાં ગવાતાં ભજનોમાં આપણે શીખ્યાં છીએ કે,  &lt;br /&gt;               &lt;br /&gt;               હે ઈશ્વર, ભજીએ તને, મોટું છે તુજ નામ                 &lt;br /&gt;                      ગુણ  તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ !!&lt;br /&gt;&lt;br /&gt;                   ભગવાનને મસ્કા મારીએ તો જ આપણાં કામ થાય  એવો અર્થ તો આપણે નથી કરતા ને !! પ્રભુનું સ્મરણ તો નિત્ય કરવું જ જોઇએ પરંતુ ઈશ્વર આગળ આપણે રોદણાં રડવાનું આપણે બંધ કરવું જોઇએ. થોડી મુશ્કેલી શું આવે, આપણે ભગવાન આગળ આપણી માંગણીઓનો  પટારો ખોલી દઇએ છીએ અને ભકતમાંથી ભિખારી બની જઇએ છીએ. ગમેતેવી ખરાબ પરિસ્થિતિમાં,સત્તાના મદમાં કે અઢળક સંપત્તિના નશામાં આપણાં પગ ભાન ભૂલીને આડા રસ્તે ના ફંટાય જાય એવી શક્તિ આપણે પ્રભુ પાસે માંગતા શીખીએ. એક ભજનમાં ખુબ જ સરસ રીતે કહેવાયું છે કે,  &lt;br /&gt;&lt;br /&gt;                       સીતારામ,સીતારામ,સીતારામ કહીએ                     &lt;br /&gt;                                    જાંહી બીંધી રાખે રામ,તાંહી બીંધી રહીએ                     &lt;br /&gt;                                   વિધિકા વિધાન જાન, હાનિ લાભ સહિએ                     &lt;br /&gt;                                    જાંહી બીંધી રાખે રામ,તાંહી બીંધી રહીએ.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;                           “વિનાયક”&lt;br /&gt;                                                                                                                  અશ્વિન ચૌધરી&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2379846641112083317-5417505673517541291?l=vinayak-creation.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vinayak-creation.blogspot.com/feeds/5417505673517541291/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=2379846641112083317&amp;postID=5417505673517541291&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/5417505673517541291'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/5417505673517541291'/><link rel='alternate' type='text/html' href='http://vinayak-creation.blogspot.com/2008/01/blog-post_5058.html' title='“પ્રાર્થના”'/><author><name>vinayak</name><uri>http://www.blogger.com/profile/07404290198420524598</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='21' src='http://bp3.blogger.com/_GU-OSLb2jDo/R5ylVP8BS_I/AAAAAAAAAAU/USGoJT6tRgg/S220/DSCF0025-1.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2379846641112083317.post-2788064326189815661</id><published>2008-01-27T06:25:00.000-08:00</published><updated>2008-01-27T06:26:53.657-08:00</updated><title type='text'>ડાળે માળો હૂંફાળો હું બાંધી દઉં કે કેમ</title><content type='html'>ભરોસો અને વિશ્વાસ, આ બંને આ સદીમાં ક્યાં ખોવાય ગયાં છે? પારકાંઓની વાતો જવા દો, આજે તો બાપ દિકરા ઉપર,પતિ પત્નિ ઉપર કે  ભાઇ ભાઇ ઉપર વિશ્વાસ મુકવાં તૈયાર નથી.બધાં  જ દેખાડો કરે  છે. વિશ્વાસ નાં  શ્વાસ કેટલાં  ચાલશે અને ક્યારે એ દમ તોડશે એનો કોઇને ભરોસો નથી. માનવીની સોબતની અસર પશુ પક્ષીઓને કે વ્રુક્ષોને પણ થઇ હશે એવી કલ્પના કરીને  આ કાવ્યની રચના કરી છે. પક્ષીઓ સદીઓથી વ્રુક્ષની ડાળીઓ ઉપર માળો બાંધતા આવ્યાં છે. વ્રુક્ષ અને પક્ષીઓ વચ્ચે અતુટ બંધન છે. છતાં પણ ચકલી બાવળનાં ઝાડ ઉપર માળો બાંધતા પહેલાં ભાડાં બાબતે ચોખવટ  કરી લેવાં માંગે છે. બાવળને ચકલીનાં આવાં વર્તનથી ખૂબ લાગી આવે છે અને તે ચકલીને કહે છે તું  શું  મને માણસ સમજે  છે? આપણાં વર્ષોનાં સંબંધો વચ્ચે આ ભાડું ક્યાંથી  આવ્યું? ચકલી અને બાવળ વચ્ચેનો ર્હદય સ્પર્શી  સંવાદ કાવ્યરૂપે આપની સમક્ષ રજુ કરૂ છું&lt;br /&gt;&lt;br /&gt;ચકલી પૂછે બાવળને                 &lt;br /&gt;ડાળે માળો હૂંફાળો હું બાંધી દઉં કે કેમ &lt;br /&gt;થાય છે, ભાડું તો કાલે  માંગે નહીં  તું મારી પાસે મને  એમ &lt;br /&gt;અગિયાર મહિનાનો કરાર કરે છે&lt;br /&gt; કાળા માથાનો માનવી જેમ&lt;br /&gt;ચકલી પૂછે બાવળને....... &lt;br /&gt;&lt;br /&gt;ભાડાં દીધાં વિના  એમ જ  &lt;br /&gt;તું  મને રહેવાં દેશે   કે કેમ&lt;br /&gt;ધક્કો મારીને બચ્ચા સાથે &lt;br /&gt; કાઢી તો નહીં મુકે મને એમ&lt;br /&gt;ચકલી પૂછે બાવળને......&lt;br /&gt;&lt;br /&gt;બાવળ કહે ચકલીને&lt;br /&gt;વિચાર આવો ખરાબ તને આવ્યો જ  કેમ  &lt;br /&gt;ભુલી ગયી તું બાવળ છું હું, નથી માનવી  કેમ એમ &lt;br /&gt;આટલાં વર્ષોનાં સંબંધો પર ફેરવ્યું પાણી,&lt;br /&gt; કેમ પુછીને મને એમ &lt;br /&gt;બાવળ કહે ચકલીને .........&lt;br /&gt;&lt;br /&gt;સંબંધ છે આપણો લાગણીનો, &lt;br /&gt;વિશ્વાસ નથી તને હવે ખબર નહીં કેમ &lt;br /&gt;માણસાઇ હું ભુલ્યો નથી, &lt;br /&gt;આજનાં આ સ્વાર્થી માનવીની  જેમ &lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;  “વિનાયક”                                                                              “અશ્વિન ચૌધરી”&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2379846641112083317-2788064326189815661?l=vinayak-creation.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vinayak-creation.blogspot.com/feeds/2788064326189815661/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=2379846641112083317&amp;postID=2788064326189815661&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/2788064326189815661'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/2788064326189815661'/><link rel='alternate' type='text/html' href='http://vinayak-creation.blogspot.com/2008/01/blog-post_7078.html' title='ડાળે માળો હૂંફાળો હું બાંધી દઉં કે કેમ'/><author><name>vinayak</name><uri>http://www.blogger.com/profile/07404290198420524598</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='21' src='http://bp3.blogger.com/_GU-OSLb2jDo/R5ylVP8BS_I/AAAAAAAAAAU/USGoJT6tRgg/S220/DSCF0025-1.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2379846641112083317.post-2769826297902491473</id><published>2008-01-27T06:21:00.000-08:00</published><updated>2008-01-27T06:24:51.032-08:00</updated><title type='text'>અમે સૌ ગામનાં, ભરોસે હવે તો રામનાં</title><content type='html'>ગામડાંઓની હાલત આજે કેવી છે? પાશ્ચાત્ય સંસ્ક્રુતિ તથા  શહેરી દૂષણો આજે ગામડાંઓને પણ આભડી ગયાં છે. કુસંસ્કારોની પ્રદુષિત લહેરો શહેરો તરફથી  ગામડાંઓમાં પ્રવેશી ચુકી છે અને ગામઠી સંસ્કારો પોતાની  અસલિયત ગુમાવવાં મંડ્યા છે. તેમાં યે જુનવાણી  વિચારસરણી ધરાવતાં ગામડાંમાં રહેતાં વ્રુધ્ધોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે. ગામડાંઓમાં  જુવાનિયાઓ વડિલોને ગણતાં જ નથી. ઉંમરનાં કારણે  વડિલો હવે ખેતીમાં મહેનત કર્રી શકતાં નથી જ્યારે નવી પેઢીને ખેતરમાં વાંકા વળી કામ કરવામાં શરમ  આવે  છે. કેટલાક જુવાનિયાઓને તો પોતાનું ખેતર ક્યાં આવ્યું છે એની જ ખબર નથી.  આખો દિવસ યુવાનો પાનનાં ગલ્લે ટોળે વળી પાનની પિચકારીઓ મારે  છે અને  સાંજ પડ્યે દારૂની મહેફિલ માણે છે. વડિલો જો યુવાનો ને બે શબ્દો કહે તો ‘ચુપ રહો,તમને સમજ નહિં પડે’ એવું કહી અપમાનિત કરે  છે. આવાં સમયે વડિલોને ધરતી મારગ આપે તો સમાઇ જવાનું મન થાય  છે. આ  એકવીસમી  સદી તેમને વસમી સદી લાગે છે. આવાં ગામઠી વિચારસરણી ધરાવતાં અસલ વડિલોની મનોદશા કેવી હશે તેની કલ્પના મેં  “અમે તો ગામનાં, ભરોસે હવે તો રામનાં” કાવ્યરૂપે  રજુ કરવાંનો પ્રયત્ન કર્યો છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;અમે સૌ ગામનાં &lt;br /&gt;                        ભરોસે હવે તો રામનાં&lt;br /&gt;જુવાનિયાં શોખીન થઇ ગયાં&lt;br /&gt;                        આજે અહિં તો જામનાં&lt;br /&gt;ટોળે વળે છે યુવાધન રોજ&lt;br /&gt;                          ગલ્લે ગુટખા-પાનનાં&lt;br /&gt;સાંજ પડી નથી કે પહુંચે&lt;br /&gt;                             કેમ અડ્ડે  શરાબનાં&lt;br /&gt;રામ-ભરોસે છે ખેતી&lt;br /&gt;                        કોણ ખુંદે ખેતરો સીમનાં&lt;br /&gt;રહી ગયાં વડીલો&lt;br /&gt;                          બસ હવે તો નામનાં&lt;br /&gt;કહે છે નવી પેઢી&lt;br /&gt;                         નથી અમે કોઇ કામનાં&lt;br /&gt;અમે સૌ ગામનાં&lt;br /&gt;                        ભરોસે હવે તો રામનાં&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;જાણતાં હતાં અમે&lt;br /&gt;                        નામ આખાં ગામનાં&lt;br /&gt;પડોશીઓ પણ રહ્યાં નથી&lt;br /&gt;                  આજે તો  હવે કોઇ કામનાં&lt;br /&gt;સંબંધો-લાગણીઓ રહી ગયાં&lt;br /&gt;                        બસ હવે તો નામનાં&lt;br /&gt; અમે સૌ ગામનાં &lt;br /&gt;                     ભરોસે   હવે તો રામનાં&lt;br /&gt;&lt;br /&gt;ગામડાંઓ ભાંગ્યાં, શહેરોમાં ગયાં&lt;br /&gt;                            લોકો કઇ  ગામનાં&lt;br /&gt;કોંક્રીટનાં જંગલોમાં અટવાયું ગામડું&lt;br /&gt;                   શોધે પગદંડી  સમી સાંજનાં&lt;br /&gt;સંસ્કારો મ્રુત:પાય બનીને&lt;br /&gt;                       જૂએ ખેલ નગ્ન નાચનાં&lt;br /&gt;કેમ થઇ ગયાં દિલ આજે&lt;br /&gt;                        લોકોનાં  નર્યાં કાચનાં&lt;br /&gt; અમે સૌ ગામનાં &lt;br /&gt;                       ભરોસે   હવે તો રામનાં&lt;br /&gt;&lt;br /&gt;જાડી  ચામડીનાં થઇ ગયાં છે&lt;br /&gt;                     શાસકો પણ  હવે તો રાજનાં&lt;br /&gt;ખૂન,લૂંટફાટ,બળાત્કારોથી ભર્યાં છે&lt;br /&gt;                       જૂઓને અખબારો  આજનાં&lt;br /&gt;ફરિયાદ કોને કરવી&lt;br /&gt;                     કોણ છે  આજે અહિં  ભાનમાં&lt;br /&gt;અમે સૌ ગામનાં                                          &lt;br /&gt;                       ભરોસે હવે તો રામનાં&lt;br /&gt;&lt;br /&gt;                                                   “વિનાયક”&lt;br /&gt;                               અશ્વિન ચૌધરી&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2379846641112083317-2769826297902491473?l=vinayak-creation.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vinayak-creation.blogspot.com/feeds/2769826297902491473/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=2379846641112083317&amp;postID=2769826297902491473&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/2769826297902491473'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/2769826297902491473'/><link rel='alternate' type='text/html' href='http://vinayak-creation.blogspot.com/2008/01/blog-post_7472.html' title='અમે સૌ ગામનાં, ભરોસે હવે તો રામનાં'/><author><name>vinayak</name><uri>http://www.blogger.com/profile/07404290198420524598</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='21' src='http://bp3.blogger.com/_GU-OSLb2jDo/R5ylVP8BS_I/AAAAAAAAAAU/USGoJT6tRgg/S220/DSCF0025-1.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2379846641112083317.post-6127227447991569425</id><published>2008-01-27T06:19:00.000-08:00</published><updated>2008-01-27T06:21:17.028-08:00</updated><title type='text'>“ હું થાક્યો ‘બાપુ’, મને આજે તારી જરૂર લાગે  છે”</title><content type='html'>&lt;div align="justify"&gt;                             “ હું થાક્યો ‘બાપુ’, મને આજે તારી જરૂર લાગે  છે”&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;       સામાજીક કુટુંબ વ્યવસ્થા  આજે છિન્નભિન્ન થઇ રહી છે. આજની નવી પેઢી વડિલોનાં કહ્યાંમાં નથી રહી. જરાક  ઠપકો આપે તો તેને ખુબ  લાગી આવે છે અને ક્યારેક તો આવેશમાં આવીને આપઘાત પણ કરી લે  છે. સંયુકત કુટુંબો હવે તુટવાં લાગ્યાં છે.આઝાદીનો અર્થ ‘સ્વચ્છંદતા’ કરી આજની પેઢી  મનમાની કરી રહી છે. સમાજમાં નવાં નવાં દૂષણો પેધાં પડી રહ્યાં છે.સાધુઓની કામલીલાઓ છાપરે ચઢીને પોકારે છે. આ  બધું ક્યાં જઇ અટકશે? શું આવી ‘આઝાદી’ માટે ગાંધીજીએ શહીદી વ્હોરી હતી?&lt;br /&gt;           સામાન્ય માનવીને આજની આ પરિસ્થિતિમાં ‘બાપુ’ યાદ આવ્યાં વિનાં રહેતાં નથી.સાંપ્રત સમાજની આ બિહામણી તસવીર જોઇ કોઇપણ  લાગણીશીલ વ્યક્તિ સહજ રીતે નિ:સાસો નાંખે છે કે&lt;br /&gt;         ” હું થાક્યો ‘બાપુ’, મને આજે તારી જરૂર લાગે  છે”&lt;br /&gt;&lt;br /&gt;ગાંધીવાદી વિચારસરણી ધરાવતાં વડિલો માટે આજની પરિસ્થિતિ અસહ્ય અને કલ્પનાથી પણ વધુ ભયાનક છે. ગાંધીજીને પોતાનો આદર્શ માનતા વડિલબંધુઓ  આજે શું વિચારતાં હશે તેને કાવ્યરૂપે રજુ કરવાંનો મેં પ્રમાણિકપણે પ્રયત્ન કર્યો છે.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;................................................................................................................................&lt;br /&gt;&lt;br /&gt;ગોડસેની ગોળીએ કરી&lt;br /&gt;                       જરૂર કોઇ  ભૂલ લાગે છે&lt;br /&gt;હું થાક્યો  “બાપુ”&lt;br /&gt;               મને આજે તારી જરૂર  લાગે  છે&lt;br /&gt;દારૂ પીવડાવી&lt;br /&gt;                  નેતાઓ આજે વોટ  માંગે છે&lt;br /&gt;ગુંડાઓ  વટથી આજે&lt;br /&gt;                     સંસદમાં  બીરાજે  છે&lt;br /&gt;ઇમાનદારોની ડીપોઝીટ&lt;br /&gt;                ચુંટણીમાં થતી ડુલ લાગે  છે&lt;br /&gt; ગોડસેની ગોળીએ કરી&lt;br /&gt;              જરૂર કોઇ  ભૂલ લાગે છે&lt;br /&gt;હું થાક્યો  “બાપુ”&lt;br /&gt;               મને આજે તારી જરૂર  લાગે  છે&lt;br /&gt;&lt;br /&gt;સામાન્ય માનવીને જીવવું&lt;br /&gt;               આજે કેમ દુષ્કર લાગે  છે&lt;br /&gt;બળાત્કારનાં  સમાચારો&lt;br /&gt;               હવે તો રોજીંદા  લાગે  છે&lt;br /&gt;લાગણીઑ દિનપ્રતિદિન&lt;br /&gt;              કેમ થતી શુષ્ક લાગે છે&lt;br /&gt;ભાઇ જ ભાઇનો કેમ આજે&lt;br /&gt;                  લેવાં પ્રાણ  માંગે  છે&lt;br /&gt;ગોડસેની ગોળીએ કરી&lt;br /&gt;              જરૂર કોઇ  ભૂલ લાગે છે&lt;br /&gt;હું થાક્યો  “બાપુ”&lt;br /&gt;               મને આજે તારી જરૂર  લાગે  છે&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;ભણેલા ગણેલાં જ  આજે તો&lt;br /&gt;                          દહેજ  માંગે  છે&lt;br /&gt;દહેજના  વાંકે દુલ્હનને&lt;br /&gt;                        કેરોસીન છાંટે  છે&lt;br /&gt;કોડભરી કન્યાને નિર્દય બની&lt;br /&gt;                      લોકો આગ ચાંપે  છે       &lt;br /&gt;ગોડસેની ગોળીએ કરી&lt;br /&gt;              જરૂર કોઇ  ભૂલ લાગે છે&lt;br /&gt;હું થાક્યો  “બાપુ”&lt;br /&gt;               મને આજે તારી જરૂર  લાગે  છે&lt;br /&gt;&lt;br /&gt;સંસ્કારો  આજે                          &lt;br /&gt;                        “મ્રૂતપાય:” લાગે  છે&lt;br /&gt;અશ્લિલતા બધે જ&lt;br /&gt;                       નશામાં ધૂત  લાગે  છે&lt;br /&gt;“ભગવાધારી”ઓ પણ જુઓને&lt;br /&gt;                 આજે  સીડી અશ્લિલ માંગે છે&lt;br /&gt;ખરેખર  આવી ગયો&lt;br /&gt;                      હવે  કળયુગ  લાગે  છે                       &lt;br /&gt;ગોડસેની ગોળીએ કરી&lt;br /&gt;                     જરૂર કોઇ  ભૂલ લાગે છે&lt;br /&gt;હું થાક્યો  “બાપુ”&lt;br /&gt;               મને આજે તારી જરૂર  લાગે  છે&lt;br /&gt;“આઝાદી”નો અર્થ યુવાનોને &lt;br /&gt;                    “સ્વછંદતા”  લાગે  છે&lt;br /&gt;સંયુક્ત કુટુંબો  એટલે જ&lt;br /&gt;                  થતાં વિભકત લાગે  છે&lt;br /&gt;માન મર્યાદામાં સૌને&lt;br /&gt;                  કેમ  આજે “શરમ” લાગે  છે&lt;br /&gt;“નગ્નતા” અપનાવવામાં&lt;br /&gt;                          થતી  “હોડ” લાગે છે&lt;br /&gt;“બાપુ” તારી છબિ કોઇક ખૂણાંમા&lt;br /&gt;                        ખાતી  ધુળ  લાગે  છે&lt;br /&gt; ગોડસેની ગોળીએ કરી&lt;br /&gt;                     જરૂર કોઇ  ભૂલ લાગે છે&lt;br /&gt;હું થાક્યો  “બાપુ”&lt;br /&gt;               મને આજે તારી જરૂર  લાગે  છે&lt;br /&gt;          &lt;br /&gt;&lt;br /&gt;                                                             “ વિનાયક”&lt;br /&gt;                                                      “અશ્વિન ચૌધરી”  09825507660&lt;/div&gt;&lt;div align="justify"&gt;vinayakcreation@yahoo.co.in&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2379846641112083317-6127227447991569425?l=vinayak-creation.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vinayak-creation.blogspot.com/feeds/6127227447991569425/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=2379846641112083317&amp;postID=6127227447991569425&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/6127227447991569425'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/6127227447991569425'/><link rel='alternate' type='text/html' href='http://vinayak-creation.blogspot.com/2008/01/blog-post_27.html' title='“ હું થાક્યો ‘બાપુ’, મને આજે તારી જરૂર લાગે  છે”'/><author><name>vinayak</name><uri>http://www.blogger.com/profile/07404290198420524598</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='21' src='http://bp3.blogger.com/_GU-OSLb2jDo/R5ylVP8BS_I/AAAAAAAAAAU/USGoJT6tRgg/S220/DSCF0025-1.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2379846641112083317.post-4670677562555547498</id><published>2008-01-27T06:13:00.001-08:00</published><updated>2008-01-27T07:49:53.165-08:00</updated><title type='text'>”પ્યારે  મોહન”</title><content type='html'>”પ્યારે  મોહન”&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;ગુજરાતની પાવનભૂમિ સાથે બે મહાપુરૂષોના નામ સંકળાયેલા  છે.યોગનુયોગ બંને મહાપુરૂષો “મોહન” નામથી  જાણીતા છે. દ્વારિકાધીશ  કૃષ્ણના અનેક નામ પૈકી “મોહન” નામ જાણીતુ છે.જ્યારે ગુજરાતના  પનોતા પુત્ર  રાષ્ટ્રપિતા “મોહન”દાસ ગાંધીને કોણ નથી ઓળખતું? ગુજરાતનુ સદભાગ્ય  છે કે બંને “મોહન” ની  કર્મભૂમિ બનવાનું અહોભાગ્ય ગુજરાતની પાવન ધરતીને સાંપડ્યું છે. દ્વારિકાધીશ “મોહન” તેમના  “કર્મ” ના કારણે વિશ્વભરમાં જાણીતાં છે જ્યારે પોરબંદરના “કરમચંદ” તેમના પુત્ર “મોહન” ના  કારણે જાણીતા  છે.&lt;br /&gt;&lt;br /&gt;એક  “મોહન” દ્વારિકામાં વસ્યા&lt;br /&gt;              બીજાં “મોહન” પોરબંદરમાં જનમ્યાં&lt;br /&gt;“સત્ય” અને “ન્યાય” માટેની લડતમાં&lt;br /&gt;               બંને “ધર્મ”નાં પક્ષે રહ્યાં&lt;br /&gt;”કૌરવો”ની સામે “મહાભારત”માં&lt;br /&gt;               “મોહન” અર્જુનનાં  સારથિ બન્યાં&lt;br /&gt;અંગ્રેજો  સામેની આઝાદીની લડતમાં&lt;br /&gt;                “મોહન” ભારતીયોના “પથદર્શક” બન્યાં&lt;br /&gt;એક છે “પરમાત્મા”&lt;br /&gt;         બીજાં  છે  “મહાત્મા”&lt;br /&gt;કેવાં  અહોભાગ્ય  આપણાં!&lt;br /&gt;                બંને મહાપુરૂષો  વસ્યાં આપણાં   ગુજરાતમાં&lt;br /&gt;”મોહન” નામમાં  “સામ્યતા”&lt;br /&gt;              છતાં ક્યાંક  દીઠો કેવો  વિરોધાભાસ !&lt;br /&gt;“મહાભારત”માં “મોહન” બોલ્યાં&lt;br /&gt;              “ પાર્થને  કહો  ચઢાવે  બાણ “&lt;br /&gt;અંગ્રેજો સામે “મોહન” ઝઝૂમ્યાં&lt;br /&gt;                “અહિંસા”  અપનાવી શસ્ત્રો  ફગાવ્યાં&lt;br /&gt;અંતે.............&lt;br /&gt;“મોહન” ને પારધિએ માર્યું બાણ&lt;br /&gt;          પ્રભાસપાટણમાં છોડયાં એમણે  પ્રાણ&lt;br /&gt;દ્વારિકાનગરીમાં “યાદવો” કુછંદે ચડયાં&lt;br /&gt;              આપસમાં લડી  “કુળ”નો વિનાશ નોતર્યાં&lt;br /&gt;બીજાં “મોહન”ને ગોડસેએ  ગૉળીએ દીધાં&lt;br /&gt;              “હે રામ” કહેતાં “બાપુ”એ અંતિમ શ્વાસ લીધાં&lt;br /&gt;આપણેય હવે શું ભાન તો નથી ભૂલ્યાં?&lt;br /&gt;              “યાદવો”ની જેમ ખોટાં માર્ગે તો  નથી ચડ્યાં?&lt;br /&gt;”સત્ય” “અહિંસા” નો માર્ગ આપણે છે ભૂલ્યાં&lt;br /&gt;          પાશ્ચત્ય સંસ્કૃતિની  આડમાં આજે  “બાપુ”  વિસરાયાં&lt;br /&gt;”ગાંધીજયંતિ”નિમિત્તે,&lt;br /&gt;                 “બાપુ”ની પ્રતિમાની  ધૂળ ખંખેરી,&lt;br /&gt;                            બે ચાર પુષ્પો&lt;br /&gt;                                  વિના લાગણી  અર્પણ કરાયાં&lt;br /&gt;કોક ‘દિ ફરી યાદ આવ્યાં તો  આવ્યાં&lt;br /&gt;                    ખાદીનાં  કપડાંમાં ક્યાંકથી નેતા ડોકાયાં&lt;br /&gt;                            સુતરની આંટીમાં ફરી  “બાપુ” ભેરવાયાં&lt;br /&gt;          વળી પાછું એક વર્ષ માટે&lt;br /&gt;                          “બાપુ” વિસરાયાં !&lt;br /&gt;                                 “બાપુ” વિસરાયાં !&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;                                                                                                                    “ વિનાયક”      &lt;br /&gt;                             “અશ્વિન ચૌધરી”&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2379846641112083317-4670677562555547498?l=vinayak-creation.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://vinayak-creation.blogspot.com/feeds/4670677562555547498/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://www.blogger.com/comment.g?blogID=2379846641112083317&amp;postID=4670677562555547498&amp;isPopup=true' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/4670677562555547498'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2379846641112083317/posts/default/4670677562555547498'/><link rel='alternate' type='text/html' href='http://vinayak-creation.blogspot.com/2008/01/blog-post.html' title='”પ્યારે  મોહન”'/><author><name>vinayak</name><uri>http://www.blogger.com/profile/07404290198420524598</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='31' height='21' src='http://bp3.blogger.com/_GU-OSLb2jDo/R5ylVP8BS_I/AAAAAAAAAAU/USGoJT6tRgg/S220/DSCF0025-1.jpg'/></author><thr:total>0</thr:total></entry></feed>
